Home / : Risk of cancer if there is a defect in DNA

Ravi Purti: ડીએનએમાં વિકાર હોય તો કેન્સરનું જોખમ રહે

Ravi Purti: ડીએનએમાં વિકાર હોય તો કેન્સરનું જોખમ રહે

આપણે જોઈ ગયા કે આપણા વિચારો, ખોરાક, પ્રાર્થના અને વાતાવરણ કેવી રીતે આપણા DNA પર અસર કરે છે. આ લેખમાં આપણે જોઈશું કે કેવી રીતે જનીન તત્વોના ફેરફારથી વારસાગત કેન્સર જેવા રોગો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કેન્સરનું નામ સાંભળતા જ ગભરાઈ જઈએ છીએ અને માની લઈએ છીએ કે કેન્સર એટલે કેન્સર પરંતુ ઘણા કેન્સર જેવા કે બ્રેસ્ટ, ઓવેરિયન, આંતરડા, ગર્ભાશય તેમજ પ્રોસ્ટેટ કેન્સરને આપણે ખાસ પ્રકારના જનીન તત્વોની તપાસથી જાણી શકીએ છીએ. અને તેને અટકાવવા તેમજ તેની અસર ઓછી કરવા માટે તે શરીરમાં થાય તે પહેલા જ ઉપાય કરી શકીએ છીએ. આ જનીન તત્વોમાં મુખ્યત્વે  BRCA1, BRCA2, TP53, MLH1, MSH2, MSHC, ATM, XPCના અક્ષરોમાં ફેરફાર થાય ત્યારે શરીરના કોષોની નિયમન પ્રક્રિયા પરનો પોતાનો કાબૂ ગુમાવી દે છે. જેને કરીને શરીરના ખાસ પ્રકારના કોષો એકદમ યરિયુ થઈને ગાંઠ જેવા થઈ જાય છે. આ જનીન તત્વોનું મુખ્ય કામ નુકશાન પામેલ DNAને સમારકામ કરવાનું હોય છે. તેમજ શરીરના કોષોની સંક્રમણને નિયમન કરવાનું હોય છે. તેથી જ્યારે તેના અક્ષરોના કોડમાં ફેરફાર થાય ત્યારે તે તેના કોષોને નિયંત્રિત કરવાની તેમજ Repair કરવાની ક્ષમતાને ગુમાવે છે. આ જનીન તત્વોનો ફેરફાર વારસાગત જોવા મળે છે. તેમજ ઘણી વખત de-novo પણ જોવા મળે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon