આતંકવાદ વિરૂદ્ધ ઇઝરાયેલમાં ભારતના રાજદૂત જેપી સિંહે ભાર આપીને કહ્યું કે, પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનું Operation Sindoor રોકવામાં આવ્યું છે, ખતમ નથી થયું. ઇસ્લામાબાદને આતંકવાદી હાફિઝ સઇદ, સાજિદ મીર અને ઝકીઉર રહમાન લખવીને સોપી દેવા જોઇએ, જેમ અમેરિકાએ 26/11 મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણા સાથે કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે જેપી સિંહ પાકિસ્તાન હાઇકમિશનમાં પણ ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

