ઇન્કમટેક્સ વિભાગની નોટિસ મામલે કોંગ્રેસને કેટલાક દિવસ માટે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વિશ્વાસ અપાવ્યો કે લોકસભા ચૂંટણીનો સમયચ ચાલી રહ્યો છે જેને કારણે અમે આ પૈસાની રિકવરીને લઇને કોઇ કાર્યવાહી નહીં કરીએ. કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ બી.વી.નાગરત્નાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આવકવેરા વિભાગ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી.

