સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં જોડાયેલા જાણીતા કથાકાર ચંદ્રગોવિંદ દાસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થયો છે. આ વિડીયો અગાઉ પણ બે વર્ષ પહેલાં વાયરલ થયો હતો અને હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. વિડિયોમાં ચંદ્રગોવિંદ દાસ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયાઓ તથા તેનું અમલ કરાવતાં નેતાઓને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે તપાસમાં સામે આવ્યું છે કે આ વિડીયો લગભગ છ વર્ષ જૂનો છે.

