Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, 'ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ એવી રીતે આપવો જોઈએ કે તેનાથી યુદ્ધ ન ભડકે.' આ ઉપરાંત તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે પાકિસ્તાન ભારતને સહયોગ કરશે.

