IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની શાનદાર જીતની ઉજવણી એક દુખદ દૂર્ઘટનામાં બદલાઇ હતી. બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટરી પરેડ પહેલા ભાગદોડ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે મંગળવારે પંજાબ કિગ્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો હતો.

