સુરેન્દ્રનગર શહેરમાં આવેલી જાણીતી મહેતા માર્કેટમાં ઘણા સમયથી બનાવટી ખાદ્યતેલ વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ બાતમીના આધારે પુરવઠા અધિકારીએ તેલના અને અનાજ વેપારીઓની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 10થી વધુ દુકાનોમાં ડુપ્લિકેટ તેલ અને એક્સપાયરી ડેટ વાળા ડબ્બા સીઝ કરાયા હતા.

