પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના ઉરી અને પૂંછ સેક્ટરમાં સરહદ પારથી ગોળીબાર કર્યો. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા જાણી જોઈને નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન જમ્મુ એરપોર્ટનો સાયરન વાગતા વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ઉતાવળે પોતાની દુકાનો બંધ કરીને સલામત સ્થળોએ ચાલ્યા ગયા.

