Video: રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં જાનહાનિ વધતા તંત્ર માટે આ માથાનો દુખાવો બન્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી બ્રિજ હનુમાન મંદિર પાસે રાજસ્થાનના રતનપુરથી પૂરપાટ આવતી કાર ધડાકા સાથે પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

