ભાવનગરમાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. એવામાં અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકો ફસાઈ ગયા હતાં, જેમનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતાં. આવી જ ઘટના ભાવનગરના સિહોરના મગલાણા ગામમાં બની હતી. જેમાં રેસ્ક્યુ કરવા ગયેલા તરવૈયાઓ પોતે ફસાઇ જતા PI મદદે આવ્યા હતા.

