એર ઈન્ડિયા અને તેની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. હવે પછી ફ્લાઇટ નંબર 171 નો ઉપયોગ નહીં કરવામાં આવે. આ નિર્ણય અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવંત બચી છે. જ્યારે 241 યાત્રીઓના મોત થયા છે. જે છેલ્લા કેટલાંક વર્ષોની સૌથી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

