અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એર ઈન્ડિયાના વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો, જે એક ચમત્કારથી ઓછું નથી. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી મિનિટોમાં જ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. વિમાન એરપોર્ટ નજીક સ્થિત ડોક્ટર્સ હોસ્ટેલ સાથે અથડાયું હતું.

