પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં ઇમામોના સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, મુર્શિદાબાદ હિંસા માટે ભાજપ જવાબદાર છે. મમતાએ કહ્યું કે, આ હિંસા સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતી. હું કેન્દ્ર સરકારને પડકાર ફેંકું છું કે, તેમણે આટલી ઉતાવળમાં વકફ કાયદો કેમ પસાર કર્યો? શું તેને બાંગ્લાદેશની પરિસ્થિતિની ખબર નથી? શું તમે બંગાળમાં રમખાણો કરાવવા માટે બહારથી લોકોને બોલાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ નથી કર્યો? BSF એ હિંસા કેમ ન રોકી?

