ઉત્તર પ્રદેશના કૈસરગંજ સંસદીય ક્ષેત્રના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અખિલેશ યાદવ એક ધાર્મિક વ્યક્તિ છે. તે શ્રીકૃષ્ણના વંશજ છે. તેમના પિતા મુલાયમ સિંહ યાદવ હનુમાનજીના ભક્ત હતા.' ભાજપના નેતાએ સમાજવાદી પાર્ટીના વડાના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા છે.

