Home / Gujarat / Surendranagar : complaint of fraud of more than 1 crore 80 lakhs

Surendranagarમાં લોભામણી જાહેરાત થકી 1 કરોડ ૮૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

Surendranagarમાં લોભામણી જાહેરાત થકી 1 કરોડ ૮૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

Surendranagar News: ગુજરાતમાંથી અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે. લોકો ઝડપથી પૈસા કમાવવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે 1 કરોડ ૮૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, અલગ અલગ લોભામણી જાહેરાતો કરી 144 લોકો પાસેથી 1000થી લઇ 16 લાખ સુધીની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. 144 લોકો પાસેથી અલગ અલગ રકમ સહિત કુલ રૂ. 1,80, 27,150/- છેતરપિંડી કરી છે. ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અરજણભાઈ બીજલભાઇ ખાંભલા અને એજન્ટો સહિત નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Related News

Icon