કેન્દ્ર સરકારે ઈ-ઝીરો એફઆઈઆર નામથી એક નવી સર્વિસ શરૂ કરી છે. જેનો હેતુ સાયબર સુરક્ષાને મજબૂત બનાવવાનો અને સાયબર છેતરપિંડી કેસની ઝડપી પતાવટ લાવવાનો છે. આ વ્યવસ્થા હાલ દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 10 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો આપોઆપ એફઆઈઆરમાં તબદીલ થશે. આ પહેલ પાછળનો ઉદ્દેશ સાયબર ક્રાઈમના ગુનેગારો વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો અને તપાસમાં થતો વિલંબ ઘટાડવાનો છે.

