Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં યાત્રાધામ અંબાજી, પાલનપુર, ઈકબાલગઢ, અમીરગઢ, ગોળિયા, આંબાપાણી સહિતના ગ્રામય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેથી ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, બાજરીની લણણીનો સમય હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાક પલળી જવાની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે 15થી 21 જૂન દરમિયાન વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

