અંગદાતાના શહેર તરીકે સુરતની ખ્યાતિ વધી રહી છે. ત્યારે 24 માર્ચ 2024 ના રોજ સવારે 10 વાગ્યે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનું સમયે સાસુ એ જગાડવા ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે પડોશી ને બોલાવ્યા હતા તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલીક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક અને યોગેશ ને ટેલીફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સારવાર શરૂ કરવામાં આવી હતી.

