પાટણ જિલ્લાના રાધનપુરમાં થયેલી પાંચ વર્ષ અગાઉ હત્યા કેસમાં સેશન કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હત્યા કેસના 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 5 વર્ષ અગાઉ લગ્ન પ્રસંગ દરમ્યાન યુવકની હત્યા કરાઈ હતી. રાધનપુરના દહેગામના આહીર માલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

