રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરીકાળમાં ધારાસભ્યો દ્વારા સરકારના વિવિધ વિભાગના પ્રશ્નો કરવામાં આવે છે, જે બાદ જે તે મંત્રીઓ કે સરકાર વતી તેનો જવાબ આપવામાં આવે છે. આ દરમિયાન જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદમાં આવેલી વિવિધ સરકારી હોસ્પિટલમાં ખાલી મહેકમ અંગે સવાલ કરાયો હતો. જેની પર સરકારે જવાબ આપ્યો હતો કે, અમદાવાદની ખ્યાતનામ સરકારી હોસ્પિટલમાં કુલ 3,697 ખાલી મહેકમ છે.

