કોંગ્રેસ નેતા શશિ થરૂરે રશિયા-યુક્રેન વોર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતના વલણનો વિરોધ કરીને હું મૂર્ખ બન્યો છું. ભારતે જે નીતિ અપનાવી હતી, તેના લીધે આપણે સ્થાયી શાંતિ સ્થાપિત કરવા સક્ષમ બન્યા છે. થરૂરના આ નિવેદનથી વિપક્ષ કોંગ્રેસમાં ઘમસાણ થવાની અટકળો વહેતી થઈ છે.

