અમદાવાદના વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ અચાનક થોડી જ મિનીટમાં ક્રેશ થઈ ગઈ. આ ફ્લાઈટ લંડન જઈ રહી હતી, જેમાં લગભગ 242 લોકો હતા. આ અકસ્માતમાં ક્રૂ મેમ્બર્સ સહિત તમામ મુસાફરોનો જીવ ગયો છે. વિમાન દુર્ઘટનામાં ફક્ત 1 મુસાફર બચી ગયો. બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં બનેલી આ દુ:ખદ ઘટના ભારતના કાળા દિવસોમાંની એક બની ગઈ છે.

