દેશમાં આજથી 50 વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી, ત્યારે આજના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારમાં ચૂંટણી પંચ કઠપૂતળી બની ગયું છે. નરેન્દ્ર મોદી કહે છે કે, હું ચૂંટણી જીતી રહ્યો છું. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો તો ઈડી પાસે કોઈ જવા નથી. વર્તમાન સમયમાં ચૂંટણી પંચ મોદી સરકારની કઠપૂતળી બની ગઈ છે.’

