Indian Railways: દેશમાં દરરોજ કરોડો લોકો રેલવે ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે. ટ્રેનમાં લાંબા અંતરનો પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા કરોડોમાં હોય છે. જો તમે પણ લાંબા અંતરનો પ્રવાસ કરતા હોવ તો તમને જમવાની જરૂરિયાત હોય છે. જે લોકો ઘરેથી ખાવાનું નથી લઈ શકતા અથવા સ્ટેશન પર મળનારા ખાવા પર નિર્ભર રહેતા હોય છે. અથવા પછી ટ્રેનમાંથી મળતા ભોજનને જમી લે છે. જો તમે પણ તમારા પ્રવાસ દરમ્યાન સ્ટેશન પર અથવા ટ્રેનના ખાવા પર નિર્ભર રહેતા હોવ તો આ ખબર તમારા માટે છે. રેલ મંત્રાલયે પોતાની સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ પર વેજ મિલ સ્ટાન્ડર્ડ કેસરોલની કિંમત અને આખું મેન્યૂ શેર કર્યું છે.

