જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓના હુમલાએ દેશભરમાં હડકપ મચાવી દીધો છે. આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 28 લોકોના મોત થયા હતા. આ ભયાનક હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીરમાં જામનગરના 60થી 70 લોકો ફસાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં જામનગરનો એક પરિવાર પણ ફસાયો હોવાની માહિતી મળી રહી છે.

