અમદાવાદ: જમાલપુરમાં આવેલા 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભુમાફીઆઓનો ગેરકાયદેસર કબજો કરતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ગેરકાયદેસર કબ્જા બદલ બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બીલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ગાયકવાડ પોલીસે ફરિયાદના આધારે આરોપી બિલાલ શૈખ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફરિયાદમાં દર્શાવેલ આરોપી બાબુલાલ શાહ અને નિઝામુદ્દીન શૈખ મૃત્યુ પામ્યા છે.

