Pakistan Violates Ceasefire: પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને પોતાના રંગ બતાવવાના શરૂ કરી દીધા છે. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પર ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર શરૂ કર્યો છે. ભારતીય સેના અનુસાર, 25-26 એપ્રિલની રાત્રે કાશ્મીર નિયંત્રણ રેખા પાર વિવિધ પાકિસ્તાની સેના ચોકીઓ દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય સૈનિકોએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે. જોકે, આ ગોળીબારમાં કોઈ જાનહાનિની સૂચના નથી મળી.

