Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાકી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. તેમજ હુમલા બાદ પાકિસ્તાન સામે કરેલી કડક કાર્યવાહીના કારણે પાકિસ્તાન ડરી રહ્યું છે. એવામાં હવે બંને દેશના આ મામલામાં અમેરિકાની એન્ટ્રી થઇ છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.

