Pahalgam Terrorist Attack: ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં આવેલા પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ છે. લોકો માર્ગો પર ઉતરી આવી વિરોધ કરી રહ્યા છે. શહેરોમાં બજાર બંધ કરી વિરોધ દર્શાવી રહ્યા છે. આ દરમ્યાન ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશનના પ્રમુખે શુક્રવારની જુમાની નમાજમાં આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી.આ સિવાય એઆઈમીમના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને કાળી પટ્ટી બાંધીને જુમાની નમાજ અદા કરવાની અપીલ કરી છે.

