છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના 10 ગામોની આદીવાસીની જમીનો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે માટે અધિકારીઓ પહોંચતા આદિવાસી સમાજના લોકો અધિકારીઓ અને પોલીસને ઘેરી લેવાયા હતાં. જેથી પોલીસ અને આદિવાસી લોકો વચ્ચે સંઘર્ષ થયો હતો.

