તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી PM હોત, તો ભારત PoK પર કબજો કરી લેત. તેમણે ચાર દિવસમાં પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પર પણ સવાલ ઉઠાવ્યા છે અને આ નિર્ણયને 'ઉતાવળિયા' ગણાવ્યો છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ, ભારતે 7 મેના રોજ આતંકવાદીઓના ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.

