પુણેના કોંઢવામાં એક આઇટી પ્રોફેશનલ મહિલાએ એક યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ કહ્યું કે તે શખ્સ કુરિયર આપવાના બહાને ડિલિવરી બોય બનીને બળજબરીથી તેના મકાનમાં ઘૂસી ગયો હતો. જોકે, હવે પોલીસ તપાસમાં કંઈ સાબિત થયું નથી અને તેને શંકા છે કે તે ખોટો આરોપ લગાવી રહી છે. પુણેમાં બળાત્કારના ખોટા કેસ સતત વધી રહ્યા છે. મહિલાઓ આવા આરોપ કેમ લગાવે છે, આ પાછળ તેની માનસિકતા શું હોઈ શકે?

