છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છોટીઉંમર ગામે આઝાદીના વર્ષો થી રસ્તો ન હોવાથી લોકો હેરાન પરેશાન છે. ચોમાસાના ચાર મહિના છોટીઉંમર, કુપ્પા અને ખેંડા ગામ સંપર્ક વિહોણા બની જાય છે. ત્રણ ગામોમાં 1500થી વધુની વસ્તી છે. હાલ 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. ચોમાસામાં કોઈ બીમાર પડે તો ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે.

