હાલ સમગ્ર રાજ્યમાં પંચાયત ચૂંટણીની જાહેરાત થઈ છે. આ ચૂંટણી માટે ઉમેદવારો પ્રચારની શરૂઆત કરી ચૂંટણી જીતવાનો દાવો કરવા લાગ્યા છે. ત્યારે ગામના વિકાસને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની તાલુકાની બલદાણા ગામના ગ્રામજનોએ એક નિર્ણય કર્યો છે,જેમાં ગામમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડશે નહીં. આ જાહેરાત સાથે બલદાણા ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે.

