અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટના બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ પ્રશાસનને મદદરૂપ થાય. તેમણે કહ્યું કે, અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું.

