સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ પ્રકારે વરસી રહયા છે અને ગઈકાલે ધીમીધારે વરસાદથી રાત સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતા તેમજ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને નદી નાળા અને ચેકડેમ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા અને ધોરાજીમાં શફુરા નદી કાંઠે આવેલું પૌરાણિક મંદિર એટલે પંચનાથ મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

