Home / Gujarat / Surendranagar : Mineral mafias used to stop the flow of water and steal it

Surendranagar News: ખનીજ માફિયાઓ પાણીનું વહેણ રોકી ચોરી કરતા, તંત્રએ ગેરકાયદેસર રસ્તો તોડી પાડ્યો

Surendranagar News: ખનીજ માફિયાઓ પાણીનું વહેણ રોકી ચોરી કરતા, તંત્રએ ગેરકાયદેસર રસ્તો તોડી પાડ્યો

છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો આતંક સતત  સામે આવી રહ્યો છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો તળાવો અને નદીઓમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે તંત્રએ એકેશન પ્લાન બનાવ્યો છે. ધોળીધજા ડેમ અને વસ્તડી ભોગાવો નદીમાં જ ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા પાકા રસ્તાઓ બનાવ્યા હતા. તંત્રએ પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમ પર અને ભોગાવો નદીમાં બનાવામાં આવેલા રસ્તાઓ તોડી પાડ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાણીનું વહેણ રોકીને ખનીજ ચોરી કરતા

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ખનીજ ચોરી કરતા તત્વો દ્વારા જે પાણીના વહેણ બદલવાનું કાવતરું કર્યું છે તે તમામ સામે પગલાં ભરવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. પાણીનું વહેણ રોકીને ખનીજ ચોરી કરવામાં આવતી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પર લગામ લગાવા આખરે તંત્ર સક્રિય બન્યું છે.

Related News

Icon