Home / Gujarat / Surat : inauguration of the flyover will provide relief from traffic jams

Surat News: ફ્લાયઓવરના લોકાર્પણથી ટ્રાફિકજામથી મળશે મુક્તિ, 1 લાખ વાહનોને થશે રાહત

Surat News: ફ્લાયઓવરના લોકાર્પણથી ટ્રાફિકજામથી મળશે મુક્તિ, 1 લાખ વાહનોને થશે રાહત

સુરતને ઓવરબ્રિજનું શહેર ગણવામાં આવે છે. ત્યારે શહેરમાં જ ભળી ગયેલા અન્ય એક વિસ્તારમાં વધુ એક ઓવરબ્રિજનું લોકાર્પણ ચાર દિવસમાં થવા જઈ રહ્યું છે. જેથી વાહનચાલકોને લાભ થવાનો છે. પલસાણા-હજીરા NH-53 પર ગભેણી તેમજ રામજીવાડી ચોકડી પર બનાવાયેલા ફ્લાયઓવર 18 એપ્રિલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લા મૂકાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

4 ઓવરબ્રિજનું પ્લાનિંગ

ઓવરબ્રિજના લોકાર્પણથી અંદાજે 1 લાખથી વધુ વાહનચાલકોને રોજના ટ્રાફિકજામથી મુક્તિ મળશે. આ ઉપરાંત માર્ગ અકસ્માતો ઘટશે અને મુસાફરી પણ આરામદાયક બની રહેશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, 4 ‘ડેથ સ્પોટ’ નક્કી કરી કુલ 4 ફ્લાયઓવરનું પ્લાનિંગ શરૂ કરાયું હતું, જે પૈકી બે તૈયાર થઈ ગયા છે. 

ટ્રાફિક જામ નિયંત્રિત થશે

આ ઉપરાંત ડ્રીમ સિટી-ભીમરાડ અને વેસુ-અભાવા ચોકડી પર પણ ફ્લાયઓવર બનાવાશે. ડ્રીમ સિટી-ભીમરાડ ફ્લાયઓવર 700 મીટર લાંબો અને 200 મીટર પહોળો હશે તો વેસુ-અભાવા ફ્લાયઓવર 700 મીટર લાંબો હશે. આ પ્રોજેક્ટ માર્ગ અકસ્માતો ઘટાડવા, ટ્રાફિક જામને નિયંત્રિત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે.

Related News

Icon