ભારત સરકારની હિતકારી સેવા આર.ટી.આઈનો ઘણા લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ કરી લોકો પાસેથી ખંડણી માંગવાનું કામ કરે છે. તંત્ર દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરીને આ પ્રકારના લોકોને ઝડપી પાડવામાં આવે છે. આ પહેલા પણ સુરતમાંથી RTIનો દુરુપયોગ કરી ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ હતી, એવામાં ફરી સુરતમાંથી આર.ટી.આઈ તોડકાંડમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે. નેતાએ RTIનો દુરુપયોગ કરીને બિલ્ડર પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

