Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ 20 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન નરેન્દ્રસિંહ પરમાર નામના દર્દીનું SSG હોસ્પિટલમાં મોત થયુ છે. 5 વાહનો નદીમાં ખાબક્યા હતા. તે વાહનોને બહાર કાઢવામાં પણ મૂશ્કેલી સર્જાઈ રહી છે. કેમિકલથી ભરેલો એક ટ્રક હજુ નદીમાં ગરકાવ છે જ્યારે અન્ય એક ટ્રક અડધા બ્રિજ પર લટકેલી હાલતમાં છે.

