ગાંધીનગર શહેર નજીક આવેલા ધોળાકુવામાં સિક્યોરિટી જવાન દ્વારા બે વર્ષના પુત્રની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતે સાડી વડે ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી છે. જે અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. તેણે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે. જેમાં યમરાજ લેવા આવતા હોવાના સપના આવતા હતા.

