ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ ચેલેન્જનું વોર શરું થયું છે. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી હતી. આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ ભાજપના લોકો બેબાકળા બન્યા છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના રાજીનામાની અફવાઓ ફેલાવી રહ્યા છે.

