રાજસ્થાનના જાંબુડી ગામ નજીક એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારનો આ પરિવાર રાજસ્થાનના માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે આ બનાવ બન્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આક્રમણમાં કારના આગળના અને સાઇડના કાચ તૂટી ગયા, તેમજ પાછળનું ટાયર ફાટી જતાં પરિવારે જીવ બચાવવા ત્રણ પૈડાં પર કાર ભગાવી હતી.

