દેશમાં સતત વધતી જતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમને જણાવ્યું કે, એસટી ટિકિટના ભાવ, ટોલટેક્સ અને બેંક સર્વિસમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. હજી સરકાર પાંચથી લઈને 40 રુનો વધારો લાગુ કરવા જઈ રહી છે. આ ભાવવધારાના લીધે ચીજવસ્તુઓનો ભાવમાં વધારો થશે. જેથી જનતાને મોંઘવારી વેઠવાનો વારો આવે છે.

