ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરત, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગરમાં કારખાનાઓમાં, ગોડાઉન સહિત અનેક સ્થળો પર આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ ખેતરમાંથી પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ ગઈકાલે જ સાબરકાંઠાના એક ખેતરમાં UGVCLની વીજ લાઈનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી અને ખેડૂતનો તમામ પાક બળીને ખાખ થઈ ગયો હતો એવામાં ફરીથી રાજકોટમાંથી એક ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.

