હાલ ઉનાળાની કાળજાળ ગરમી પડી પડી રહી છે. ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં અનોખો પ્રયાસ ગરમીથી બચવાનો જોવા મળી રહ્યો છે. અહીં જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો છે. સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો છે. ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો 1140 ફૂટ લાંбо માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે.

