સુપ્રીમ કોર્ટે એક મહિલા દ્વારા પોતાના પતિ અને સગાઓ સામે કરવામાં આવેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ રદ કરી દીધી છે. જેમાં કોર્ટે કહ્યું કે, 'આ મામલે પતિના સગાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે વચ્ચે છૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ દહેજ ઉત્પીડન અને 498 (A) ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી તો પતિ અને તેનો પરિવાર દહેજ ઉત્પીડન કેવી રીતે કરી શકે?'

