જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજી કરનારને ફટકાર લગાવી છે.કોર્ટે અરજી કરનારને કહ્યું કે તમારી માંગ છે કે રિટાયર્ડ જજની આગેવાનીમાં પહેલગામ હુમલાની તપાસ થાય. જજ ક્યારથી આવી ઘટનાઓની તપાસ માટે એક્સપર્ટ બની ગયા છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘટનાને ગંભીરતાથી જુવો.

