છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડું અઠવાડિયામાં બે વખત આવ્યું છે. જેથી તલ-બાજરી અને અન્ય પાકોને નુકસાન પહોંચ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ના ધરાતા ખેડૂતો અધિકારીઓની રાહ જોઈને ખેતરોમાં બેસી રહે છે. જો કે કોઈ ન આવતું હોવાથી તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

