12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ. આ વિમાન બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું, જેમાં કુલ 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા, જેમાં વિમાનમાં બેઠેલા 241 લોકોનો પણ સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડ જઈ રહેલા એક યુવા ક્રિકેટર પટેલ દીર્ધ પ્રફૂલ્લકુમારનું પણ તેમાં મૃત્યુ થયું. તે સીટ નંબર 17Jમાં બેઠો હતો.

